જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં
રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં
નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં.
યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં.
નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં.
– આદિલ મન્સૂરી
No comments:
Post a Comment