NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, 15 January 2017

અધરેથી છુટી મોહનમુકુટે જા'વું, સખી મારે તો મોરપીચ્છ થા'વું

અધરેથી છુટી મોહનમુકુટે જા'વું,
સખી મારે તો મોરપીચ્છ થા'વું.

ઘેરી વળે રોજ કા'નાને ગોપીઓ નખરાળી
રેઢો ન મૂકે ઓલી લુચ્ચી રાધા લટકાળી
ને પાછી કે' છે વેણું કારણીયે હું આવું
સખી મારે તો મોરપીચ્છ થા'વું.

સાંભળીને મુજને ઘેલું એવું તો ગોકુળીયું થા'તું
મનેખ તો શું ? મુંગું પશુય અળગું ન જા'તું
શી રીતે માધવને ભાનમાં હવે લાવું ?
સખી મારે તો મોરપીચ્છ થા'વું.

ફૂંકે ન મુજને તો વનરાવન થાશે ન ઘેલું
મારા વ્હાલાનાં રંગમાં ઘેલી થૈ એકલી હું રેલું
હું તો હવે શ્યામનાં શિરે સોહાવું
સખી મારે તો મોરપીચ્છ થા'વું.

- નરેન્દ્ર ચૌહાણ 'નરેન'

No comments:

Post a Comment