રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઇ મનમાં, મરી જવાના!
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના…
એક આત્મબળ અમારું, દુ:ખ માત્રની દવા છે,
હર ઝખમને નજરથી ટાંકા ભરી જવાના…
સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ,દિપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના…
એ કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે,ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના?-
અમૃત ‘ઘાયલ’
No comments:
Post a Comment