NEWS UPDATE

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Monday, 14 March 2016

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઇ મનમાં, મરી જવાના!

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઇ મનમાં, મરી જવાના!

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના…

એક આત્મબળ અમારું, દુ:ખ માત્રની દવા છે,
હર ઝખમને નજરથી ટાંકા ભરી જવાના…

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ,દિપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના…

એ કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે,ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના?-

      અમૃત ‘ઘાયલ’

No comments:

Post a Comment