શું થાય જો હું મૃત્યુ પામું તો ?
થોડા હાયકારા,
થોડા ડચકારા,
થોડા હાશકારા
પણ થાય...કોઈક ખાય દયા, કોઈ કહે હાશ!
ગયા!શું થાય
જો હું મૃત્યુ પામું તો?
ઇલેક્ટ્રિક ભઠ્ઠીની તપત,
થોડા કલાકોની રમત,
થોડા દિવસોની મમત.
જો હું મૃત્યુ પામું,
જન્મારાનો થાક ઉતારું,
બ્રેક લઉં માયામાંથી,
બાય બાય કહું બધાં બંધનોનેઅંતરમાં ભરી સઘળાં સ્વજનોને.
જો હું મૃત્યુ પામું તો
વર્ષોની વેદના, જીવનની ખેવના -
આ બધાને મળે જાકારોપણ મૃત્યુનો ક્યાં થાય છે વરતારો?
- નિયતિ
No comments:
Post a Comment